પ૦૦ ડેનિયરથી ઓછા સ્પેસિફિકેશનવાળા પોલિએસ્ટર ઇન્ડસ્ટ્રીયલ યાર્નને કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરમાંથી હાલ પૂરતું બાકાત

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રિય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ મંત્રી ડો. મનસુખ માંડવીયા, કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ મંત્રી પીયુષ ગોયલ અને કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશનો આભાર માનવામાં આવ્યો

સુરત. ભારત સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ મંત્રાલયે ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે પોલિએસ્ટર યાર્ન સંબંધિત પાંચ પ્રોડકટ પર કવોલિટી કન્ટ્રોલ ઓર્ડર જારી કર્યો હતો. જેનો અમલ ગત તા. ૩ જુલાઇ ર૦ર૩ થી થનાર હતો, આથી ચેમ્બર ઓફ કોમર્સ, ફિઆસ્વી, ફોગવા અને સાઉથ ગુજરાત વોર્પ નીટર્સ એસોસીએશન, સાઉથ ગુજરાત ટેક્ષ્ચ્યુરાઇઝર વેલ્ફેર એસોસીએશન તથા અન્ય ઔદ્યોગિક સંગઠનો દ્વારા કેન્દ્રિય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ મંત્રી ડો. મનસુખ માંડવીયાને કરવામાં આવેલી રજૂઆતને પગલે પોલિએસ્ટર યાર્ન સંબંધિત ત્રણ પ્રોડકટ પરના અમલને મુલત્વી રાખી તેનો અમલ હવે આગામી તા. પ ઓકટોબર ર૦ર૩ થી થશે તેવું નોટિફિકેશન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, પ૦૦ ડેનિયરથી ઓછા સ્પેસિફિકેશનવાળા પોલિએસ્ટર ઇન્ડસ્ટ્રીયલ યાર્નનું ભારતમાં ખૂબ ઓછા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. જેને કારણે ઘણા વિવર્સોએ આ યાર્નને કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરમાંથી બાકાત રાખવામાં આવે તેવી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરવામાં આવે તેવી વિનંતિ કરી હતી. જેને પગલે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ૦૦ ડેનિયરથી ઓછા સ્પેસિફિકેશનવાળા પોલિએસ્ટર ઇન્ડસ્ટ્રીયલ યાર્નને કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરમાંથી બાકાત કરવાની રજૂઆત તા. ૮ જૂન ર૦ર૩ના રોજ ભારતના કેન્દ્રિય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ મંત્રી ડો. મનસુખ માંડવીયાને કરાઇ હતી.

ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતને માન્ય રાખી ભારત સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ મંત્રાલયના કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગે તા. ૧૭ જુલાઇ ર૦ર૩ ના રોજ ઓર્ડર નં. S.O. 3196(E) થકી પ૦૦ ડેનિયરથી ઓછા સ્પેસિફિકેશનવાળા પોલિએસ્ટર ઇન્ડસ્ટ્રીયલ યાર્નને કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરમાંથી હાલ પૂરતું બાકાત રાખવાની જાહેરાત કરી છે. જો કે, પ૦૦ ડેનિયરથી વધુ સ્પેસિફિકેશનવાળા પોલિએસ્ટર ઇન્ડસ્ટ્રીયલ યાર્ન ઉપર કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરનો અમલ ગત તા. ૩ જુલાઇ ર૦ર૩થી લાગુ કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ૦૦ ડેનિયરથી ઓછા સ્પેસિફિકેશનવાળા પોલિએસ્ટર ઇન્ડસ્ટ્રીયલ યાર્ન ઉપર કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરનો અમલ કરાયો હોત તો ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં વિવિંગ સેકટરના નાના નાના એકમો બંધ થવાનો વારો આવ્યો હોત. આ યાર્નને કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરમાંથી હાલ પૂરતું બાકાત રાખવાના નિર્ણય માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રિય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ મંત્રી ડો. મનસુખ માંડવીયા, કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ મંત્રી પીયુષ ગોયલ અને કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશનો આભાર માનવામાં આવે છે.

बिना बीआईएस लाइसेंस के पॉलिएस्टर स्टेपल फाइबर बनाने वाली कंपनी पर छापा

दादरा में एक पॉलिएस्टर स्टेबल फाइबर निर्माता कंपनी पर भारतीय मानक ब्यूरो ने बुधवार को छापा मारा। छापेमारी के दौरान यूनिट से बिना आईएसआई मार्क वाला 6492 किलोग्राम पॉलिएस्टर स्टेपल फाइबर (पीएसएफ) जब्त किया गया और कार्रवाई की गई.

बीआईएस सूत्रों से मिली जानकारी के मुताबिक, रसायन एवं उर्वरक मंत्रालय द्वारा 3 अप्रैल से पॉलिएस्टर यार्न पर बीआईएस मानक अनिवार्य कर दिया गया था। हालाँकि बाद मेकपड़ा उद्योग द्वारा प्रस्तुत पॉलिएस्टर के कुछ गुणों पर बीआईएस कार्यान्वयन की समय सीमा 3 जुलाई तक बढ़ा दी गई है। हालाँकि, पॉलिएस्टर स्टेपल फाइबर की समय सीमा 3 अप्रैल है। विभाग के बार-बार निर्देश के बावजूद कुछ निर्माता बिना बीआईएस लाइसेंस के निर्माण कर रहे थे। जिसके बाद भारतीय ब्यूरो स्टैंडर्ड, सूरत के अधिकारियों ने बुधवार को दादरा स्थित नेशनल फाइबर्स प्राइवेट लिमिटेड पर छापा मारा और जांच के दौरान वहां से 6492 किलोग्राम गैर-आईएसआई मार्क वाला सामान बरामद किया।


पॉलिएस्टर स्टेपल फाइबर जब्त कर लिया गया। रसायन एवं उर्वरक मंत्रालय के आदेश के मुताबिक तीन अप्रैल के बाद किसी भी निर्माता या व्यापारी को बिना आईएसआई मार्क के पीएसएफ का उत्पादन या बेचता है, तो उस पर बीआईएस के उल्लंघन के लिए मुकदमा चलाया जाएगा, जिसमें दो साल की कैद या 2 लाख रुपये का जुर्माना या दोनों का प्रावधान है।


यहां उल्लेखनीय है कि पॉलिएस्टर यार्न की की कई क्वॉलिटी पर बीआईएस द्वारा जुलाई से लागू की जाएंगी, जिसे लेकर उद्योगपतियों में चिंता का माहौल है। उद्योगपतियों का कहना है कि ज्यादातर धागा चीन से आयात होता है। कुछ सूत ऐसे भी हैं जिनके लिए विदेशों पर निर्भर रहना पड़ता है। फिलहाल कुछ चीनी कंपनियों के पास BIS सर्टिफिकेट है. प्रक्रिया चल रही है. अब जबकि क्रियान्वयन में कुछ ही दिन बचे हैं, ऐसे में अगर तीन जुलाई तक बीआईएस लाइसेंस नहीं मिला तो उद्योगपतियों को यार्न के लिए मुश्किलों का सामना करना पड़ सकता है। कुछ उद्योगपतियों ने यार्न पर बीआईएस के कार्यान्वयन को 3 जुलाई से बढ़ाने का सुझाव दिया है।